આ સંશોધન પેપર ભારતીય અર્થતંત્ર અને ભારતીય જ્ઞાન પ્રણાલી વચ્ચેના તાત્વિક, વ્યવહારિક અને નીતિગત સમન્વયનું વિશ્લેષણ કરે છે. ભારતીય જ્ઞાન પ્રણાલી હજારો વર્ષોથી સમાજ, અર્થવ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણને સંતુલિત રાખવા માટે માર્ગદર્શન આપતી આવી છે. આધુનિક સમયમાં ભારતીય અર્થતંત્ર વૈશ્વિક વિકાસ પ્રક્રિયામાં સામેલ થયું છે, પરંતુ તેની સાથે અસમાનતા, પર્યાવરણીય સંકટ અને મૂલ્યહ્રાસ જેવા પ્રશ્નો પણ ઊભા થયા છે. આ અભ્યાસ દર્શાવે છે કે જો ભારતીય જ્ઞાન પ્રણાલીના સિદ્ધાંતોને આધુનિક આર્થિક નીતિઓ અને વિકાસ મોડેલમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં આવે, તો વિકાસ વધુ ટકાઉ, સમાવેશક અને માનવકેન્દ્રિત બની શકે છે. ગુણાત્મક સંશોધન પદ્ધતિ દ્વારા આ પેપર ભારતીય જ્ઞાન પરંપરાની આર્થિક પ્રાસંગિકતા સ્પષ્ટ કરે છે.
ડૉ. ખુશાલી જી. અગ્રવાલ (Wed,) studied this question.